ગરીબ કલ્યાણ અન્ન યોજના: પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY ) એ આત્મનિર્ભર ભારતના ભાગ રૂપે સ્થળાંતર કરનારા અને ગરીબ લોકોને મફત અનાજ પૂરું પાડવાની યોજના છે. ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY ) નો મુખ્ય હેતુ ગરીબ પરિવારને કોરોના જેવા કપરા સમયમાં મફત અનાજ મળી રહે તેવો છે. ગરીબ કલ્યાણ અન્ન યોજના ની શરૂઆત એપ્રિલ 2020 થઈ હતી. આ પોસ્ટમા અને આપને ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ રેશનકાર્ડ ધારકોને કેટલુ અનાજ મળવાપાત્ર છે તેની માહિતી આપવાનો પ્રયાસ કરીશુ.
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના
પોસ્ટ ટાઈટલ | પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના |
લાભ | ગરીબ પરિવાર |
સ્થળ | ભારત |
યોજના શરુ તારીખ | એપ્રિલ 2020 |
ગરીબ કલ્યાણ અન્ન યોજના અનાજ વિતરણ વ્યવસ્થા
PMGKAY 2022 હેઠળ ગુજરાત રાજ્યના 71 લાખથી વધુ NFSA રેશનકાર્ડ ધારકોની 3.46 કરોડ જનસંખ્યાને ઓક્ટોબર-૨૦૨૨ મહિનામાં રાહતદરના નિયમિત અનાજ વિતરણ તથા “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના”ના વિનામૂલ્યે વિતરણ સંબંધિત અગત્યની જાણકારી આ પોસ્ટમાં આપીશુ. જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ ઓક્ટોબર મહિનાનું નિયમિત વિતરણ તા. 01-10-2022થી શરૂ કરવામાં આવશે.
Read also: PVC આધાર કાર્ડ મંગાવો ઘર બેઠા, મોબાઈલથી અરજી કરો How To Get PVC Aadhar Card@uidai.gov.in
ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ મળવાપાત્ર અનાજ જથ્થો
NFSA કાર્ડ ધારકોને મળવાપાત્ર અનાજ જથ્થો
ક્રમ | આવશ્યક ચીજવસ્તુ | કેટેગરી | મળવાપાત્ર જથ્થો | ભાવ પ્રતિ કિ.ગ્રા. રૂ. પૈસા |
1 | ઘઉં | અંત્યોદય કુટુંબો | કાર્ડ દીઠ 15 કિ.ગ્રા. | 2.00 |
2 | અગ્રતા ધરાવતા કુટુંબો | વ્યક્તિદીઠ 2 કિ.ગ્રા. | 2.00 | |
3 | ચોખા | અંત્યોદય કુટુંબો | કાર્ડ દીઠ 20 કિ.ગ્રા. | 3.00 |
4 | અગ્રતા ધરાવતા કુટુંબો | વ્યક્તિદીઠ 3 કિ.ગ્રા. | 3.00 | |
5 | તુવેરદાળ | અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબો | કાર્ડ દીઠ 1 કિ.ગ્રા. | 50.00 |
6 | ચણા | અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબો | કાર્ડ દીઠ 1 કિ.ગ્રા. | 30.00 |
7 | ખાંડ નિયમિત | અંત્યોદય કુટુંબો | 3 વ્યક્તિ સુધી કાર્ડદીઠ 1 કિ.ગ્રા. 3 થી વધુ વ્યક્તિદીઠ 0.350 કિ.ગ્રા. | 15.00 |
8 | બીપીએલ કુટુંબો | વ્યક્તિદીઠ 0.350 કિ.ગ્રા. | 22.00 | |
9 | તહેવાર નિમિતે ખાંડ | અંત્યોદય કુટુંબો | કાર્ડ દીઠ 1 કિ.ગ્રા. | 15.00 |
10 | બીપીએલ કુટુંબો | કાર્ડ દીઠ 1 કિ.ગ્રા. | 22.00 | |
11 | તહેવાર નિમિતે ખાદ્યતેલ (સિંગતેલ) | અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબો | કાર્ડ દીઠ 1 લીટર | 100.00 |
12 | ડબલ ફોર્ટીફાઈડ સોલ્ટ | અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબો | કાર્ડ દીઠ 1 કિ.ગ્રા. | 1.00 |
રાજ્યના NFSA હેઠળ સમાવિષ્ટ તમામ 3.46 કરોડ લાભાર્થીઓને વ્યક્તિદીઠ 1 કિ.ગ્રા. ઘઉં અને 4 કિ.ગ્રા. ચોખા મળી કુલ 5 કિ.ગ્રા. અનાજનું વિનામૂલ્યે વિતરણ તારીખ 15 ઓક્ટોબર થી કરવામાં આવશે.
ક્રમ | કેટેગરી | આવશ્યક ચીજવસ્તુ | મળવાપાત્ર જથ્થો | ભાવ |
1 | અંત્યોદય કુટુંબો (AAY) અને અગ્રતા ધરાવતા કુટુંબો (PHH) | ઘઉં | વ્યક્તિ દીઠ 1 કિ.ગ્રા. | વિનામૂલ્યે |
ચોખા | વ્યક્તિ દીઠ 4 કિ.ગ્રા. | વિનામૂલ્યે |
Read Also: મોબાઇલ ફોન થશે સસ્તા નવા વર્ષમા / ખુશખબર
વન નેશન વન રેશનકાર્ડ યોજના
દેશના અન્ય રાજ્યના તેમજ ગુજરાતના કોઈપણ ગામ કે શહેરમાંથી રેશનકાર્ડ કઢાવ્યું હોય, પરંતુ ધંધા-રોજગારને લીધે અન્ય ગામ કે શહેરમાં વસવાટ કરતા લાભાર્થી સમગ્ર રાજ્યમાં કોઇપણ ગામ કે શહેરમાં આવેલ વાજબી ભાવની દુકાનેથી પોતાના હાથના અંગુઠા/આંગળીનો ઉપયોગ કરી પોતાના ઓળખ આપી અન્ન પુરવઠો મેળવી શકે છે.
લાભાર્થી પોતાની ફરિયાદ હેલ્પલાઇન નંબર : 1800-233-5500, 14445 તેમજ mera Ration મોબાઈલ એપ્લીકેશન દ્વારા નોંધાવી શકશે.
તમને મળવાપાત્ર જથ્થો જાણો | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જાઓ | અહીં ક્લિક કરો |

ગરીબ કલ્યાણ અન્ન યોજના માટે પાત્રતા
- ગરીબી રેખાથી નીચેના પરિવારો – અંત્યોદય અન્ન યોજના (એએવાય) અને પ્રાધાન્યતાવાળા ઘરો (પીએચએચ) ની શ્રેણીમાં સમાવિષ્ટ પરિવારો આ યોજનાનો લાભ મેળવવા પાત્ર રહેશે.
- પીએચએચની ઓળખ રાજ્ય સરકારો / કેન્દ્ર સરકાર દ્વારા તેઓ દ્વારા નિર્ધારિત માપદંડ મુજબ નક્કી કરવાની રહેશે. એએવાય પરિવારોની ઓળખ રાજ્યો / કેન્દ્રશાસિત કેન્દ્રો દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત કરવામાં આવેલ માપદંડોને આધારિત કરવાની રહેશે.
- વિધવાઓ અથવા ગંભીર રૂપે બીમાર વ્યક્તિઓ અથવા અપંગ વ્યક્તિઓ અથવા 60 વર્ષ કે તેથી વધુ વયની વ્યક્તિઓના વડપણ હેઠળના નિર્વાહના સાધનો અથવા સામાજિક આધારની નિશ્ચિતતા ન ધરાવતા પરિવારો સમાવિષ્ટ કરવામાં આવશે.
- નિર્વાહના સાધનો અથવા સામાજિક આધારની નિશ્ચિતતા ન ધરાવતી વિધવાઓ અથવા ગંભીર રૂપે બીમાર વ્યક્તિઓ અથવા અપંગ વ્યક્તિઓ અથવા 60 વર્ષ કે તેથી વધુ વયની વ્યક્તિ, અથવા તો પરિવાર વિહીન એકલ મહિલા, એકલ પુરુષને સદર યોજના હેઠળ સમાવવામાં આવશે.
- તમામ આદિવાસી પરિવારો.
- જમીન વિહોણા ખેતમજૂરો, સીમાંત ખેડુતો, કુંભારો, ચામડાનું કામ કરનારાઓ, ( ટેનરો ), વણકર, લુહાર, સુથાર જેવા ગ્રામીણ કારીગરો ઝૂંપડપટ્ટીમાં રહેનારાઓ, અને ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં અનૌપચારિક ક્ષેત્રમાં રોજિંદા ધોરણે રોજગાર મેળવનારા લોકો જેવા કે, કુંભારો, કુલીઓ, રિક્ષાચાલકો, હાથ લારી ખેંચનારાઓ, ફળ અને ફૂલ વેચનારાઓ, સાપના ખેલ દર્શાવતા મદારીઓ, કચરો વીણનારાઓ, મોચી, અને અન્ય તે પ્રકારના લોકો.
- ગરીબી રેખા નીચેના તમામ એચ. આઇ. વી. પોઝીટિવ વ્યક્તિઓના પરિવારો પાત્ર ગણાશે.
તમને મળવાપાત્ર જથ્થો કઈ રીતે જાણી શકાય છે?
http://ipds.gujarat.gov.in/Register/frm_KnowYourEntitlement.aspx પર જાઓ અને રેશનકાર્ડ નંબર નાખી મળવાપાત્ર જથ્થો જાણી શકાય છે.
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની શરૂઆત ક્યારે થઇ હતી?
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની શરૂઆત એપ્રિલ 2020માં થઇ હતી