નવા વ્યાજ દર 2023: સરકારે મધ્યમ વર્ગને આપી નવા વર્ષની ભેટ / જાણો હવે કઇ બચત પર કેટલા ટકા વ્યાજ મળશે ?

By | January 5, 2023

નવા વ્યાજ દર 2023 : સરકારે નાને બચત કરતા લોકો માટે આજે નવા વર્ષની ગીફટ આપી છે. જેમા કિસાન વિકાસ પત્ર , પોસ્ટ ઓફિસની બચત યોજનાઓ, NSC,સુકન્યા સમૃધ્ધિ યોજના અને સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ્સમાં રોકાણ કરનારા લોકો માટે સારા સમાચાર છે. સરકારે નાની બચત યોજનાઓના વ્યાજદરોમાં વધારો કરવાની આજે જાહેરાત કરી છે. જાણો જાણીએ હવેથી કઇ બચત યોજના પર કેટલા ટકા વ્યાજ મળશે ?

  • નવા વર્ષે સરકારે મિડલ ક્લાસને આપી મોટી ભેટ
  • નાની બચત યોજનાઓના વ્યાજદરોમાં વધારો કરવાની જાહેરાત
  • સુકન્યા સમૃદ્ધિ-PPF સહિત જુઓ શેમાં વ્યાજદર વધ્યા
નવા વ્યાજ દર 2023

સરકારે મધ્યમ વર્ગ માટે નાની બચત યોજનાઓના વ્યાજદરોમાં વધારો કરવાની જાહેરાત કરી છે. જેમા કિસાન વિકાસ પત્ર (KIsan Vikas Patra), પોસ્ટ ઓફિસની બચત યોજનાઓ (Post Office Deposit Schemes), NSC, સુકન્યા સમૃધ્ધિ યોજના અને સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ્સ (Senior Citizen Saving Schemes)માં રોકાણ કરનારાઓ માટે સારા સમાચાર છે. નાણા મંત્રાલયે નાણાકીય વર્ષ 2022-23ના ચોથા ત્રિમાસિક ગાળા જાન્યુઆરીથી માર્ચ સુધીની આ બચત યોજનાઓ પર વ્યાજ દર વધારવાનો નિર્ણય કર્યો છે. જો કે, PPF સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samridhi Yojana) પર આપવામાં આવતા વ્યાજદરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

રેપો રેટમાં વધારા બાદ વધ્યા વ્યાજ દરો

post office mis interest rate 2023

nsc interest rate 2023

RBIએ સતત પાંચ વખત તેની મોનિટરી પોલિસી મીટિંગ બાદ પોલિસી રેટ્સ રેપો રેટમાં વધારો કર્યો છે. 8 ડિસેમ્બરે રેપો રેટમાં 35 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો હતો. જે બાદ 2022માં રેપો રેટ 4 ટકાથી વધીને 6.25 ટકા થઈ ગયો છે.

નવા વ્યાજ દર 2023

બચત પ્રકારRates of interest from
1-10-2022 to 31-12-2022
Rates of interest from
1-1-2023 to 31-3-2023
Savings Deposite4.00 4.00
1 year Time deposite5.506.60
2 year Time deposite5.706.80
3 year Time deposite5.806.90
5 year Time deposite6.77.00
5 year Recurring Deposite5.85.80
Senior citizen savings scheme7.68.00
Monthly Income Account Scheme6.77.10
National savings certificate6.87.00
Public provident fund scheme7.17.10
Kisan vikas patra7.007.20
Sukanya samriddhi Account Scheme7.607.60

IMPORTANT LINKS

HOME PAGECLICK HERE
For Latest update Join our whatsapp groupCLICK HERE

FAQ’S વારંવાર પૂછાતા પ્રશ્નો

નવા વ્યાજદર અંતર્ગત સુકન્યા સમૃધ્ધિ યોજના પર કેટલા ટકા વ્યાજ મળવાપાત્ર છે.?

Ans: સુકન્યા સમૃધ્ધિ યોજના પર 7.6 % વ્યાજ મળવાપાત્ર છે.

નવા વ્યાજદર અંતર્ગત National savings certificate પર કેટલા ટકા વ્યાજ મળવાપાત્ર છે.?

Ans: National savings certificate પર 7 % વ્યાજ મળવાપાત્ર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *