મકરસંક્રાંતિ દાન : મકર સંક્રાંતિનુ પર્વ ઘણુ મહત્વ ધરાવે છે. વર્ષ 2023 માં મકર સંક્રાંતિનો તહેવાર 14 જાન્યુઆરી, શનિવાર ના દિવસે મનાવવામાં આવશે. જેને ઉતરાયણ પણ કહે છે. મકરસંક્રાંતિ ના પર્વ સાથે ઘણી ખગોળીય ઘટનાઓ જોડાયેલી છે. આ દિવસે સૂર્યદેવ ઉત્તરાયણ હોય છે. સાથે જ મકર સંક્રાંતિ સાથે જ કમૂરતા નો સમય પુરો થઈ જાય છે અને એક વાર ફરીથી અટકેલા માંગલિક કાર્યોની શરુઆત થઈ જાય છે. મકરસંક્રાંતિના દિવસે સ્નાન અને દાન કરવાનુ પણ ઘણુ મહત્વ રહેલુ છે. આ દિવસે દાન જેવુ પુણ્યનુ કાર્ય કરીને સૂર્યદેવના આશીર્વાદ મેળવી શકાય છે. ચાલો આજે આ લેખમા જાણીએ વર્ષ 2023 માં મકર સંક્રાંતિના દિવસે રાશિ અનુસાર તમારે કઈ વસ્તુઓનુ દાન કરવુ જોઇએ.

મકરસંક્રાંતિ પર દાનનુ મહત્વ
કહેવાય છે દાન કરવાથી મનુષ્યના દૈહિક, માનસિક અને આત્મિક તાપ મટવાની સાથે બધા પ્રકારના દોષ પણ મટી જાય છે. એમા પણ જો આ દાન મકર સંક્રાંતિના પવિત્ર દિવસે કરવામાં આવે તો તેનુ મહત્વ ઘણુ વધી જાય છે. મકર સંક્રાંતિના દિવસે તલ, ખિચડી, ગોળ અને ધાબળા વગેરે વસ્તુઓનુ દાન કરવાનુ ઘણુ મહત્વ છે, આ સાથે અમુક અન્ય વસ્તુઓને પણ દાનમાં આપી શકો છો. આવો જાણીએ આ વર્ષે મકરસંક્રાંતિ પર કઈ રાશિના લોકોને મકર સંક્રાંતિ પર શું દાન કરવુ વધુ લાભકારી રહેશે.
READ ALSO: પતંગરસિયાઓને મોજ પડી જશે ઉતરાયણ પર : જાણો કેવો રહેશે પવન અને હવામાન
મકરસંક્રાંતિ દાન
મકરસંક્રાંતિના દિવસે રાહિ મુજબ વિવિધ વસ્તુઓનુ દાન કરવાનુ ઘણુ મહત્વ રહેલુ છે. દરેક લોકોએ સૂર્યદેવની વિશેષ કૃપા મેળવવા તેમની રાશિ મુજબ દાન કરવુ જોઇએ.
મકરસંક્રાતિ રાશિ મુજબ દાન
મેષ: મેષ રાશિના જાતકોએ ગોળ, મગફળીના દાણા અને તલનુ દાન કરો.
વૃષભ: વૃષભ રાશિના જાતકોએ વ્હાઈટ કપડા, દહીં અને તલનુ દાન આપવુ લાભકારી રહેશે.
મિથુન: મિથુન રાશિના જાતકોએ મગની દાળ, ચોખા અને ધાબળાનુ દાન આપવુ જોઈએ.
કર્ક: કર્ક રાશિના જાતકોએ ચોખા, સફેદ તલનુ દાન આપો.
સિંહ: સિંહ રાશિના જાતકોએ તાંબા, ઘઉંનુ દાન આપો.
કન્યા: કન્યા રાશિના જાતકોએ ખિચડી, ધાબળા અને લીલા કપડાનુ દાન કરવુ જોઈએ.
તુલા: તુલા રાશિના જાતકોએ ખાંડ અને ધાબળાનુ દાન આપવુ સારું રહેશે.
વૃશ્વિક: વૃશ્વિક રાશિના જાતકોએ લાલ કપડાં અને તલનુ દાન આપો.
ધન: ધન રાશિના જાતકોએ પીળા કપડાં અને પલાળેલી હળદરનુ દાન કરી શકો છો.
IMPORTANT LINK:
HOME PAGE | CLICK HERE |
JOIN OUR WHATSAPP GROUP FOR LATEST UPDATE | CLICK HERE |