Ayushman card Eligibility / જાણો તમે આયુષ્માન કાર્ડ કઢાવવા માટે પાત્રતા ધરાવો છો કે કેમ ? મળશે 10 લાખ સુધીની મફત સારવાર

By | February 15, 2023

Ayushman card Eligibility : આયુષ્માન કાર્ડ પાત્રતા : કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા લોકોની સુખાકારી માટે અને ગરીબો તથા જરૂરિયાતમંદોને મદદ કરવા માટે કલ્યાણકારી ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આમાંથી એક યોજના આયુષ્માન ભારત યોજના છે. જે હવે ‘પ્રધાન મંત્રી આયુષ્માન ભારત જન આરોગ્ય યોજના-મુખ્યમંત્રી યોજના’ તરીકે પણ ઓળખાય છે. યોજના દ્વારા, પાત્રતા ધરાવતા લોકો માટે એક કાર્ડ કાઢવામા આવે છે જેને આયુષ્માન કાર્ડ કહે છે, જેના દ્વારા તેઓ માન્ય સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલો પૈકી પસંદગીની હોસ્પિટલમાં ૧૦ લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવી શકે છે.

Ayushman card Eligibility
Ayushman card Eligibility

Ayushman card Eligibility

બધા લોકોને એ જાણવાની ઉત્સુકતા હોય છે કે આ યોજનાનો લાભ તેમને મળશે કે નહીં, આયુષ્માન કાર્ડ માટે તમે પાત્રતા ધરાવો છો કે કેમ ? તે માટે તમારે પાત્રતા ના ધોરણો જાણવા પડશે. આયુષ્માન કાર્ડ કઢાવવા માટે તમે પાત્રતા ધરાવો છો કે કેમ તે નીચે મુજબના સ્ટેપ ફોલો કરીને ઘરેબેઠા ઓનલાઇન ચેક કરી શકો છો. યોજનાનો લાભ લેવા માટે અરજી કરનારની ઉંમર 18 વર્ષ હોવી જોઈએ. સાથે તેનું નામ સામાજિક-આર્થિક જાતિ જનગણના SECC- 2011 માં હોવું જોઈએ.

How TO Check Ayushman card Eligibility

આ સ્ટેપ્સને ફોલો કરી ઘરે બેસીને ચેક કરી શકો છો પાત્રતા.

  • આયુષ્માન કાર્ડ માટે તમે પાત્રતા ધરાવો છો કે કેમ તે જાણવા માટે સૌથી પહેલાં તમારે આયુષ્માન કાર્ડ ની ઓફિશિયલ વેબસાઇટ https://mera.pmjay.gov.in/search/eligible પર જવું પડશે.
  • ત્યારબાદ ઓપન થયેલા પેજમા તમારે મોબાઇલ નંબર દાખલ કરવો પડશે અને નીચે આપેલ કેપ્ચા કોડ એન્ટર કરવાનો રહેશે.
  • હવે નવા ખૂલેલા પેજમા પહેલાં તમારે તમારૂ રાજ્ય પસંદ કરવું પડશે, જ્યાંના તમે રહેવાસી છો.
  • હવે નીચે સિલેક્ટ કેટેગરીના ઓપ્શનમાં તમારી સામે પાત્રતાની તપાસ માટે મોબાઇલ નંબર, નામ, રેશન કાર્ડ નંબરનો વિકલ્પ આવશે. તેમાં સિલેક્ટ કરીને ડિટેલ ભરવાની રહેશે.
  • જો તમારૂ નામ નવા ખુલેલા પેજની જમણી બાજુ જોવા મળી રહ્યું છે તો તમે તેના માટે પાત્ર છો.
  • આ સિવાય તમે નજીકના જનસેવા કેન્દ્ર પર જઈને પણ આયુષ્માન કાર્ડ માટે પાત્રતા ધરાવો છો કે કેમ તે ચેક કરી શકો છો.

નોંધનીય છે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાને વર્ષ 2018માં શરૂ કરવામાં આવી હતી. અત્યાર સુધી યોજનામાં આશરે 4.5 કરોડ લોકો જોડાઈ ચુક્યા છે. જેના દ્વારા સરકાર ૧૦ લાખ સુધીની સારવાર ફ્રી ઉપલબ્ધ કરાવે છે. આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે અરજી કરી શકાય છે. યોજના દ્વારા પાત્ર લોકોને આયુષ્માન કાર્ડ આપવામાં આવે છે, જેના દ્વારા માન્ય હોસ્પિટલો પૈકી પસંદગીની હોસ્પિટલમાં જઈને ફ્રી સારવાર કરાવી શકે છે.

આયુષ્માન કાર્ડ ઓફીસીયલ વેબસાઇટ અહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *